ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી-ડો. ; Chandravadan Madhavabhai Mistry – Dr.

chandravadan_mistry.jpg

જીવનમંત્રો -
“પ્રભુ! તું છે તો હું છું.”

” પ્રભુ જે થાય, ન થાય એમાં તારી જ ઈચ્છા છે, અને એ પ્રમાણે મારો સ્વીકાર છે.”

______________________________________________________________

જન્મ

  • 13, ઓક્ટોબર- 1943; વેસ્મા ( જી. નવસારી) – શરદ પુનમ

કુટુમ્બ

  • માતા – સ્વ. ભાણીબેન; પીતા – સ્વ. માધવભાઈ ગાંડાભાઈ ; મોટાભાઈ – છગનલાલ
  • પત્ની- કમુબેન : પુત્રીઓ – નીના; વર્ષા અને વંદના( જોડીયાં બહેનો) ; રૂપા 

જ્ઞાતી

  • પ્રજાપતી

અભ્યાસ

  • 1969 – એમ.બી.બી.એસ – કટક ઓરીસ્સા
  • 1977-80 – રેસીડન્સી – ઇન્ટર્નલ મેડીસીન- પીટ્સબર્ગ, અમેરીકા

જીવનઝરમર

  • 1954- 1961 – આફ્રીકા નીવાસ
  • 1962 – ભવન્સ કોલેજ , મુંબાઈમાં અભ્યાસ
  • 1970-73 લુસાકા, ઝામ્બીયામાં ડોક્ટર અને શીક્ષણની નોકરી
  • 1973-74 ઈન્ગ્લેંડમાં ડોક્ટર તરીકે નોકરી
  • 1975-77 ફરીથી લુસાકા ખાતે નીવાસ
  • 1977-80 પીટ્સબર્ગમાં ડોક્ટર
  • 1981 – 2006 લોસ એન્જેલસમાં ડોક્ટર તરીકે નોકરી
  • લાંબા વીદેશવાસ છતાં વતનની સેવા માટે સદા તત્પર
  • વેસ્મામાં ‘પ્રજાપતી ભવન’, બાલમંદીર, બાલભવન, આયુર્વેદીક દવાખાનું, પુસ્તકાલય, રામચંદ્રમંદીરમાં સંતોને રહેવા અને સત્સંગ માટે હોલ, હોસ્પીટલમાં પ્રસુતીવીભાગ વી.ના નીર્માણમાં સક્રીય, નાણાંકીય અને નોંધપાત્ર હીસ્સો
  • ગામની બીજી અનેક સંસ્થાઓમાં નાણાંકીય સહકાર
  • જ્યાં બાળપણમાં ભણ્યા હતા તે કુમારશાળામાં ઈનામી યોજનાની શરુઆત
  • સમગ્ર ગુજરાતની પ્રજાપતી જ્ઞાતીના ઉત્કર્શ માટે સન્નીશ્ઠ પ્રયાસો
  • 1989 – હૃદયની બાયપાસ સર્જરી અને તે બાદ કાવ્યો અને ભજનો લખવા શરુ કર્યા. તેમની રચનાઓમાં ભક્તીભાવ અને અંગત વ્યક્તીઓ અને પ્રસંગોને સ્પર્શતી ભાવવીભોરતા પ્રાધાન્ય ધરાવે છે.
  • 1992-93 અમેરીકાના કેલીફોર્નીયામાં એન્ટેલપ વેલી ગુજરાતી સમાજમાં અગત્યનો ફાળો
  • 2007 – આફ્રીકામાં પણ શીક્ષણ માટે ઈનામી યોજના શરુ કરી

રચનાઓ

  • કાવ્ય સંગ્રહ – ત્રીવેણીસંગમ, ભક્તીભાવનાં ઝરણાં
  • સંપાદન – શ્રીકૃષ્ણ લીલામૃત ( ભજન સંગ્રહ)

શારદાગૌરી ભીખાભાઈ જાની, Shardagauri Bhikhabhai Jani

behn_bapuji.jpg

તેમનાં અનેક પ્રીય ભજનોમાંનું એક - 

” ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર,
દીલડે દીલડે તે માના દીવડા.”
- અંબાલાલ પટેલ 

__________________________________________________________
Read the rest of this entry »

ભીખાભાઈ મગનલાલ જાની, Bhikhabhai Maganalal Jani

behn_bapuji.jpg

તેમની બાળકોને કેટલીક જીવનશીખ  -

‘પહોંચ હોય તેટલો પથારો કરવો.’
‘કોઈનું ભલું  ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું બુરું ન  કરવું.”
“આવકના 40% બચત થાય તેવી રીતે જીવવું.”

તેમને બહુ ગમતો મંત્ર -
” ચૈતન્ય સિન્ધુ ગરજે ૐ ૐ ૐ “

__________________________________________________________
Read the rest of this entry »